શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે શ્રી પ્રહલાદભાઈ પટેલના જન્મદિવસ અને વૈવાહિક વર્ષગાંઠ નિમિત્તે આયોજિત વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જન્મજાત હૃદયમાં કાણાની બીમારીથી પીડિત બાળકોને નિઃશુલ્ક સારવાર આપવાના પવિત્ર સંકલ્પના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
પોતાના ખાસ દિવસને સમાજના સૌથી નાનાં અને નિર્દોષ હૃદયો માટે સમર્પિત કરી દેવું, આ માત્ર ઉદારતા નથી, આ માનવતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. શ્રી પ્રહલાદભાઈ પટેલ તથા PSP પરિવાર દ્વારા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં આશાનો પ્રકાશ પ્રગટાવી માનવતાની સર્વોચ્ચ અભિવ્યક્તિને સાર્થક કરી બતાવવામાં આવી છે. આવા લોકકલ્યાણકારી કાર્યોમાં જોડાયેલા તમામ ટ્રસ્ટીઓ, તબીબો, દાતાશ્રીઓ અને સેવાભાવીઓ અભિનંદનના હકદાર છે.